જીવન ક્યારેય ફરિયાદો વગરનું નથી. ‘મમ્મી મારું મનપસંદ જમવાનું બનાવતી નથી, પપ્પા મને મારી મનપસંદ ગેમ્સ ખરીદી આપતા નથી, મારો મિત્ર મારી સાથે રમતો નથી, આજે મને સારી ઊંઘ નથી આવી’. હંમેશા ફરિયાદોનો પ્રવાહ ચાલુ રહે છે. ચાલો આપણે દરરોજ ઓછામાં ઓછી એક ફરિયાદથી મુક્ત થવાનો અને આપણા મમ્મી-પપ્પાને ખુશ કરવાનો દૃઢ નિર્ણય લેવાનો સંકલ્પ કરીએ.
થોડા ફુગ્ગાઓમાં હવા ભરો.
નારંગીની છાલ કાઢો
નારંગીની છાલનો રસ ફુલાવેલા ફુગ્ગા પર નિચોવો.
એક સેકન્ડ રાહ જુઓ અને જુઓ શું થાય છે!
જ્યારે તમે ફુગ્ગાની સપાટી પર નારંગીની છાલનો રસ છાંટશો, ત્યારે ફુગ્ગો ફૂટી જશે. આ નારંગીની છાલમાં રહેલા લિમોનીનને કારણે છે.
નારંગીની છાલ = તમારી ફરિયાદો!!
ફુગ્ગો = પ્રિયજનોનું હૃદય
જેમ નારંગીની છાલમાં રહેલું એસિડ ફુગ્ગાને ફોડે છે, તેવી જ રીતે આપણી ફરિયાદો આપણા પ્રિયજનોના હૃદયને તોડી નાખે છે. તેથી આપણે હંમેશા ફરિયાદ ન કરીને બધાંને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ!
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...