જ્યારે નેગેટિવ (નકારાત્મકતા) તમારા મન પર અસર કરે છે અને તમને તણાવ અનુભવાય છે, ત્યારે એકમાત્ર ઉકેલ એ છે કે તે વ્યક્તિના પોઝિટિવ (સકારાત્મક) ગુણો લખી લો.
એક ગ્લાસમાં થોડું તેલ લો અને ગ્લાસને એક મોટા બાઉલમાં મૂકો.
પછી થોડું રંગીન પાણી લો અને તેલના ગ્લાસમાં રંગીન પાણી ઉમેરવાનું શરૂ કરો.
જેમ જેમ વધુ પાણી ઉમેરવામાં આવશે તેમ તેમ તેલ નીકળી જશે.
ગ્લાસ ફક્ત રંગીન પાણીથી ભરેલો હશે.
તેલ પાણી કરતાં ઓછું ઘન (હળવું) હોય છે તેથી તે પાણી પર તરે છે. તેથી જ્યારે ગ્લાસમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે બધું તેલ અંતે બહાર નીકળી જાય છે.
તેલ = નેગેટિવિટી (નકારાત્મકતા)
પાણી = પોઝિટિવિટી (સકારાત્મકતા)
તેલ કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિસ્થિતિ વિશે મનમાં રહેલી નકારાત્મકતા દર્શાવે છે.
રંગીન પાણી સકારાત્મકતા દર્શાવે છે.
જેમ જેમ તેલ (નકારાત્મકતા) માં વધુ પાણી પોઝિટિવિટી (સકારાત્મકતા) ઉમેરવામાં આવશે, તેમ તેમ તેલ (નકારાત્મકતા) નીકળી જશે અને મન ફક્ત રંગીન પાણીથી ભરાઈ જશે - ફક્ત સકારાત્મકતા!
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...