શું તમે ક્યારેય ટૂથપેસ્ટને કાઢી લીધા પછી ટ્યુબમાં પાછી નાંખવાનો પ્રયાસ કર્યો છે? તમે કરી શકતા નથી, ખરું ને? તમારા શબ્દો સાથે પણ એવું જ છે. એકવાર તમે તે દુઃખદાયક વાતો કહો છો, પછી તમે તેને પાછી લઈ શકતા નથી. "માફ કરશો" અથવા "હું મજાક કરી રહ્યો હતો," કહેવાથી તે શબ્દોનો ડંખ દૂર થતો નથી. તમે જે કહ્યું તે ભૂલી ગયા પછી, તમે જેની સાથે વાત કરી હતી, એ તેને યાદ રાખશે. જેમ તમે ટૂથપેસ્ટને ટ્યુબમાં પાછી નાંખી શકતા નથી, તેમ તમે તેને પાછું લઈ શકતા નથી. ચાલો આ પ્રયોગ ટ્રાય કરીએ અને પોતાની જાતને ચકાસીએ.
કાગળના હાર્ટ પર થોડી ટૂથપેસ્ટ કાઢો.
હવે ચમચીનો ઉપયોગ કરીને કાગળના હાર્ટમાંથી તે ટૂથપેસ્ટને કાઢીને ટૂથપેસ્ટ ટ્યુબમાં પાછી નાંખવાનો ટ્રાય કરો અને અવલોકન કરો!
ટૂથપેસ્ટ ફરીથી ટ્યુબમાં પાછી નાંખી શકાતી નથી!
ધારોકે,
ટૂથપેસ્ટ ટ્યુબ = તમે
ટૂથપેસ્ટ = તમારા શબ્દો
કાગળનું હૃદય = કોઈનું હૃદય
શબ્દો ટૂથપેસ્ટ જેવા હોય છે. જો આપણે કોઈને નકારાત્મક શબ્દો કહીએ છીએ, તો તે પાછા લઈ શકાતા નથી અને એ વ્યક્તિને દુઃખ પહોંચાડે છે. તેથી આપણે જે વ્યક્તિને દુઃખ પહોંચાડ્યું છે એની માફી માંગવી જોઈએ. આપણી વાણી સુધારવા માટે, હંમેશા દાદા ભગવાન પાસે શક્તિ માંગવી જોઈએ, "હે દાદા, કૃપા કરીને મારા કંઠે બિરાજો, જેથી મારી વાણી સુધરે."
દાદાની તમારા કંઠે ફક્ત કલ્પના કરવાથી પણ તમારી વાણી સુધરી શકે છે.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...