હકીકત - જે ક્ષણે પગમાં ફ્રેક્ચર થાય છે, તે જ ક્ષણે કોઈ કહી શકે છે કે, "મારો પગ તૂટી ગયો છે." બીજી જ મિનિટથી, તૂટેલા ટુકડા રૂઝાઈ જવા લાગે છે અને તેથી, ફક્ત એટલું જ કહેવું યોગ્ય છે કે, "મારો પગ સાજો થઈ રહ્યો છે."
વિગતો - જ્યારે કોઈ વ્યક્તિ પડી જાય છે અથવા અકસ્માતનો ભોગ બને છે ત્યારે તે જ ક્ષણે પગ ફ્રેક્ચર થઈ જાય છે. બીજી જ ક્ષણથી તરત જ, રૂઝ આવવાની પ્રક્રિયા કુદરતી રીતે શરૂ થાય છે. પગને સંપૂર્ણપણે રૂઝ આવવામાં થોડો સમય લાગે છે પરંતુ ત્યાં સુધી, "મારો પગ ફ્રેક્ચર થઈ ગયો છે" કહેવાને બદલે, શું એવું કહેવું વધુ યોગ્ય નહીં રહે કે, "મારો પગ સાજો થઈ રહ્યો છે?"