એક દિવસ, મિસ્ટર શાહના નોકર મનજીએ જોયું કે, તેમનો કોટ દરવાજા પર લટકતો હતો અને તેના ખિસ્સામાંથી પૈસા બહાર નીકળતા હતા.
મનજીએ આ જોયું.
મનજી: મને પૈસાની સખત જરૂર છે. આ એક સારી તક છે, કોઈ જોઈ રહ્યું નથી.
મનજી ચોરી કરવાનો પ્રયાસ કરે છે એટલામાં જ,
આદિત્ય: એ .. ચોર, તારી હિંમત કેવી રીતે થઈ ચોરી કરવાની? આ સાંભળીને મિસ્ટર શાહ દોડી આવ્યા.
મનજી: પ..પ.. પ્લીઝ ...મને માફ કરજો સર. મારી દીકરી બીમાર છે. મારે તેની દવા માટે પૈસા જોઈએ છે.
મિસ્ટર શાહ: ખબરદાર ! જો હવેથી, ફરી ક્યારેય ચોરી કરતા પકડાશો, તો હું તને પોલીસને હવાલે કરીશ.
એક દિવસ, આદિત્ય તેની ઘડિયાળ શોધી રહ્યો હતો. આદિત્ય: ચોક્કસ, મનજીએ ચોરી કરી હશે. તેનો અભિપ્રાય વધુ મજબૂત બન્યો.
આદિત્ય: હવે મારે પપ્પાને ફરિયાદ કરવી પડશે. એકવાર તેને સજા થશે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે ત્યાર પછી તે ચોરી કરવાનું ભૂલી જશે.
એટલામાં જ આદિત્યના મમ્મી આવ્યાં.
મમ્મી: શું વાત છે? તું કેમ આટલો ગુસ્સામાં દેખાય છે?
આદિત્ય: મનજીએ મારી ઘડિયાળ ચોરી લીધી છે. હું પપ્પાને કહીશ અને પોલીસ તેની ધરપકડ કરશે.
મમ્મી: તારી ઘડિયાળ? મેં તારા કબાટમાં મુકી છે. તે તારા પલંગ પર પડી હતી.
આદિત્યએ તેના કબાટમાં જોયું અને ઘડિયાળ ત્યાં જ મળી. મનજી પર શંકા કરવા બદલ તેને શરમ આવી.
મમ્મી: તને ખબર છે કે, તારા ખોટા અભિપ્રાયના આધારે મનજીની ધરપકડ કરવામાં આવી હોત, તો કેટલું ખોટું થાત? આદિત્ય: હા.
મમ્મી: મનજી એવી વ્યક્તિ નથી, કે જે ચોરી કરે. તેણે સંજોગોના દબાણને કારણે એવું કર્યું હતું.
મમ્મી: ૫૦ થી ૧૦૦ વાર રિપિટ કર કે 'મનજી એક પ્રામાણિક વ્યક્તિ છે' જેથી તેના વિશેનો તારો નકારાત્મક(નેગેટીવ) અભિપ્રાય ભૂંસાઈ જાય.
આદિત્ય: શ્યોર મમ્મી. આદિત્યએ કહ્યા પ્રમાણે કર્યું અને તેને હળવાશ લાગી. તેને પણ મનજી ગમવા લાગ્યો.
કોઈનાય પ્રત્યે નકારાત્મક(નેગેટીવ) અભિપ્રાય ક્યારેય રાખવો નહિ, કારણ કે બદલામાં તે તમને જ નુકસાન કરશે.
This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...