Back to Top

એકલવ્યની નિષ્ઠા અને ભક્તિ



એકલવ્ય એક આદિવાસી સરદારનો પુત્ર હતો. નાનપણથી જ એને બાણવિદ્યા શીખવાની ખુબ ઈચ્છા હતી. એણે ગુરુ દ્રોણાચાર્યને પોતાનો શિષ્ય તરીકે સ્વીકારવાની વિનંતી કરી. એકલવ્ય શુદ્ર હોવાથી અને પોતે બ્રાહ્મણ હોવાથી તથા પાંડવો અને કૌરવો આદિ રાજકુમારોના ગુરુ હોવાથી એમણે એકલવ્યને શિષ્ય તરીકે સ્વીકારવાની ના કહી.