ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

શ્રી રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પાછા ફર્યા ત્યારે સૌ પ્રથમ તેઓ માતાઓને મળવા ગયા

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

જ્યારે તેઓ માતા કૈકેયી પાસે ગયા. કૈકેયી: બેટા રામ ! મને માફ કર. મેં તને ઘણી મોટી શિક્ષા કરી દીધી

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

કૈકેયી: તારા વનવાસનું કારણ હું છું. એનો મને ખૂબ પસ્તાવો છે

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

રામ: મા, રડો નહીં. આપે તો મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

રામ: મા ! પિતાજીનો મારા ઉપર આટલો અપાર સ્નેહ છે ! એની મને ક્યારે ખબર પડી ? વનવાસનું નિમિત્ત બન્યું ત્યારે જ ને!

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

ભરત કેવો મહાત્મા છે ! કેટલો અનાસક્ત છે ! વનવાસના લીધે જ તો આવી કેટલીય અજાણી વાતો જાણવા મળી !

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

હનુમાનની પવિત્ર ભક્તિ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણનો અજોડ ભ્રાતૃપ્રેમ, સીતાની મહાનતા

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

રાવણ સાથેના યુધ્ધમાં મને મારી શક્તિની ઓળખ પણ વનવાસના કારણે જ થઈ છે

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

આટલી નાની વયે મને સાધુ સંતો અને ગુરુજનોની સેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો !

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

આવા હતા ભગવાન રામ ! આખા જીવન દરમિયાન એમણે ક્યારેય માતા કૈકેયીનો દોષ નથી જોયો પરંતુ એમનો ઉપકાર જ માન્યો છે.

ભગવાન રામની પોઝિટિવ દ્રષ્ટિ

ભગવાન રામના આગમનની આતુરતાથી રાહ જોતા અયોધ્યાવાસીઓએ આખા નગરમાં દીવાથી રોશની કરી હતી. એ દિવસ આજે દિવાળી તરીકે ઉજવાય છે.