એડજસ્ટ એવરીવ્હેર

જય સચ્ચિદાનંદ મિત્રો! 
આખા દિવસમાં જે જે બને છે તેમાં તમે ક્યારેય એડજસ્ટમેન્ટ લીધા છે? આમ તો આપણે વાતાવરણ, હવામાન, અને ઉછેર પ્રમાણે એડજસ્ટ થતા જ હોઈએ છીએ. અને એમ જ ઘરે આપણે મમ્મી-પપ્પા, ભાઈ બહેન, અને મિત્રો સાથે એડજસ્ટમેન્ટ લેતા જ હોઈએ છીએ, પણ અમુક લોકો સાથે એડજસ્ટ થવાનું બહુ અઘરું લાગે. ત્યાં આપણે એડજસ્ટ ના થઈએ તો શું થાય? આપણે બધાં  સાથે ઝગડા અને તકરાર થયા કરે જેનાથી આપણી મનની શાંતિ ખોઈને આપણે દુઃખી રહીએ. 
‘એડજસ્ટ એવરીવ્હેર’ એટલે શું? 
•    બધાં સાથે હળી મળીને રહેવું. 
•    ગમ્મે તે પરિસ્થિતિમાં બધાં સાથે ભળી જવું. 
•    બધાં સાથે એક થઈને રહેવું. 
•    બધી જ પરિસ્થિતિમાં એડજસ્ટ થવું.

દુનિયામાં કશું આપણને ‘ફીટ’ થાય એવું બને. પણ આપણે એની સાથે ‘ફીટ’ થઈ જઈએ તો દુનિયા આપણી માટે સારી છે. જો આપણે એવી કોશિશ કરવા જઈએ કે ‘દુનિયા મને ફીટ થાય’, તો ઊલટું એ વાંકી થશે. એટલે આપણે તો બધે જ એડજસ્ટ થવાનું, એડજસ્ટ એવરીવ્હેર. તમે બધે ફીટ થશો તો કોઈ મુશ્કેલી નહીં આવે. 


બધે એડજસ્ટ થવાના ફાયદા:

•  જીવનમાં સુખ અને શાંતિ રહે. 
•    બધાં સંબંધો સારા રહે.
•    ઝગડા અને કકળાટ ના થાય. 
•    જે એડજસ્ટ થાય એને ક્યારેય જીવનમાં કોઈ મુશ્કેલી ના પડે. 
•    એડજસ્ટ થવાથી આપણા જૂના હિસાબો પૂરા થઈ જાય.

 જે વ્યક્તિ એડજસ્ટ થાય એને ક્યારેય ‘આવું કેમ?’ કે ‘મારી સાથે આવું કેમ કરે છે ?’ એવાં વિચારો ના આવે. 
તો મિત્રો, એ વ્યક્તિ સાથે એડજસ્ટમેન્ટ લો જે તમારી સાથે સૌથી વધુ ડીસએડજસ્ટ થાય. ભલે તમારાં પ્રયત્નો નિષ્ફળ જાય તો પણ એડજસ્ટમેન્ટ લેતાં રહો.  

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...