ઈર્ષા

જય સચ્ચિદાનંદ મિત્રો!

ઈર્ષાનો અગ્નિ આપણી અંદર બળતો ના હોય એવું બન્યું છે ક્યારેય !? ઘણાં બધાં લોકો ઈર્ષામાં બળતાં હોય. જ્યારે આપણા કરતા વધારે કઈ બીજાને મળે તો તરત જ આપણને ઈર્ષા થાય, પછી ભલે ને એ આપણા જ ભાઈ, બહેન કે બેસ્ટ ફ્રેન્ડ કેમ ન હોય.

દોસ્તો, ઈર્ષા એ દુર્ગુણ છે, એ તો આપણને ખબર જ છે. જ્યારે આપણને બહુ ઈર્ષા થાય ત્યારે આપણે સામાને નીચા પાડી દેવા સુધી જતા રહીએ. ત્યારે આપણે આપણુ બધુ ભાન અને સાચા ખોટાની સમજણ ભૂલી જઈએ.

પણ ઈર્ષા ચાલુ કેવી રીતે થાય છે?

દાદાશ્રી કહે છે કે, “બીજાની સફળતા આપણે જોઈ નથી શકતા એટલે જ ઈર્ષા થાય છે. જ્યારે આપણાથી વધુ આવડતવાળા કોઈ વ્યક્તિને જોઈએ, ત્યારે આપણે ખૂબ જ બેચેન અને અશાંત થઈ જઈએ છીએ. જ્યારે આ બેચેની વધે ત્યારે ઈર્ષા ઊભી થાય.

jealousy-pic

બીજા સાથે આપણે આપણી સરખામણી કરવા જઈએ ત્યારે ઈર્ષા ઊભી થાય. ચાલો આપણે એના નુકસાન જોઈએ:

·        કામ પર ધ્યાન રાખવાને બદલે આપણે એ વ્યક્તિ પર ધ્યાન જાય એટલે આપણી એકાગ્રતા તૂટી જાય.

·        સ્પર્ધા થવા લાગે. અને એ વ્યક્તિ આપણાથી આગળ વધી જાય, તે આપણને સહન ન થાય.

·        ધીમે ધીમે અણગમો ચાલુ થાય. અને એ વ્યક્તિ માટે ખરાબ ભાવો થવા લાગે.

આપણી પોઝિટિવ શક્તિઓ ઓછી થતી જાય.

આ બધી નેગેટિવીટીના કારણે આપણે એનું સારું તો ક્યારેય નહીં વિચારીએ.

દાદાશ્રી કહે છે કે, આ દુનિયા એક પડઘા જેવી છે. આપણે સામા માટે જેવું વિચારીએ એવું જ આપણી સાથે થાય. એટલે ઈર્ષા કરવાથી આપણે બીજાને તો નુકસાન કરીએ જ છીએ, પણ સૌથી પહેલા આપણે પોતાની જાતને જ ભયંકર નુકસાન કરીએ છીએ.

આપણે હવે ઈર્ષાથી કેવી રીતે બચીશું?

ઈર્ષાથી બચવા માટે દાદાશ્રીએ અમુક ચાવીઓ આપી છે:

·        ભગવાનને પ્રાર્થના કરવાની કે, “હે ભગવાન, બધાંને ખૂબ શક્તિઓ આપજો. બધાં જ દિલથી મહેનત કરે અને આગળ વધે.”

·        જે નેગેટિવ ભાવો થયા હોય તેના પ્રતિક્રમણ કરી લેવાના કે, “હે દાદા ભગવાન, બીજાનું નેગેટિવ જોયું તે માટે મને માફ કરો અને એવી શક્તિ આપો કે મને બધામાં પોઝિટિવ જ દેખાય.”

·        બધામાં પોઝિટિવ જ જોવાનો સ્ટ્રોંગ નિશ્ચય કરો.

·        કોઈને આપણને માટે ઈર્ષા થતી હોય તો એવી પ્રાર્થના કરો કે, “હે પ્રભુ! મારા કારણે એને ઈર્ષા થાય છે એમાં મને સમતા રાખવાની શક્તિ આપો અને સામો કોઈ પ્રતિકાર ન કરું એવી શક્તિ આપો.”

jealousy-pic-1

દોસ્તો! આપણને તો ખબર જ છે કે, બીજાને સુખ આપવાથી સુખ. તો પછી જ્યારે આપણને ઈર્ષા થાય ત્યારે દાદાશ્રીની ચાવી વાપરીને પસ્તાવા કરીએ જેથી આપણા જીવનમાં સુખ અને શાંતિ થાય.

Related Link

Story - ઈર્ષ્યાની આગ                               

Videos - ઈર્ષા 

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...