ચોરી (કરવી)
ધારો કે તમારે ગમતી ચપ્પલ ખરીદવાની હોય અને તે માટે તમે પૈસા બચાવી રાખ્યા હોય. પણ રસ્તામાં જ એ પૈસા કોઈ ચોરી જાય તો તમને કેવું લાગશે? શું તમને ખુશી થશે કે તમને દુઃખ થશે? એ જ રીતે, આપણે જો કોઈની પાસેથી ચોરી કરીએ તો તેને પણ દુઃખ થાય છે.
વ્યક્તિ ચોરી કેમ કરે છે?
- પૂર્વજન્મમાં, તે વ્યક્તિએ તેના મનમાં નક્કી કર્યું હશે કે 'હું વસ્તુઓ ચોરીશ અને ખુશ રહીશ.' પણ તે સમયે તે વ્યક્તિને ખબર હોતી નથી કે તે પાપ કરી રહ્યો છે.
- સાચું જ્ઞાન અને તેનાં(ચોરીના) પરિણામોની સમજ ના હોવાને લીધે પણ વ્યક્તિ ચોરી કરે છે.
ચોરીના પ્રકારો
૧) ક્રિયાથી ચોરી

૨) વાણીથી ચોરી

૩) મનથી ચોરી/ મનથી ચોરી

ચોરીના પરિણામો/ ચોરી કરવાથી શું થાય છે?
વ્યક્તિએ બે પગવાળા (મનુષ્ય)માંથી ચાર પગવાળી(પ્રાણી) યોનિમાં જવું પડે છે.
· તમે ચોરી કરવાનું બંધ કરી દો પછી પણ, લોકો તમને ચોર તરીકે આરોપ લગાવ્યાં કરે.
· કુદરતનો નિયમ એવો છે કે, ચોરાયેલી વસ્તુઓ આખરે આપણને ખુશીને બદલે દુઃખ જ આપે છે.
ચાલો, આપણી ભૂલ સમજીએ અને તેમાંથી પાછા ફરીએ
૧) જો કોઈ તમારું પાકીટ ચોરી લે તો તમને ગમશે? એ જ રીતે, તમે જેની પાસેથી ચોરી કરો છો તેને પણ દુઃખ થતું જ હશે ને?
૨) જ્યારે પણ તમને આવા કાર્યો યાદ આવે, ત્યારે તેનું પ્રતિક્રમણ કરો અને ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગો. પ્રતિક્રમણ કરવાથી, અભિપ્રાય બદલાઈ જાય છે કે 'ચોરી કરવી ખોટું છે' અને 'ચોરી ન કરવી એ જ શ્રેષ્ઠ છે'.
તો બાળકો, સારા સંસ્કારવાળા પરિવારના બાળકને ચોરી કરવી શોભે છે? વિચાર કરો!
Related Links
Moral Story - શું ચોરી કરવી સારી છે ?
Moral story - મહાત્મા ગાંધીજીની પ્રામાણિકતા
Magazine - ચોરી